Sunday, March 17, 2019

શું તમને ખ્યાલ છે કે હોળી શા માટે ઉજવવામાં આવે છે ?..


ફાગણ મહિનો આવતા જ વાતાવરણ જાણે કે રંગીન બની જાય છે. અરે મિત્રો ફાગણીયો તેની સાથે હોળી લઇને આવે છે તો વાતાવરણ રંગીન થઇ જ જાય ને... ફાગણમાં ફાગણ પૂર્ણિમાના દિવસે હોળી ઉજવવામાં આવે છે. આ તહેવારના દિવસે ગરીબ, મધ્યમ, શ્રીમંતો દરેક લોકો એક જ રંગમાં રંગાયેલા હોય છે. અરે હોળીમાં તો દુશ્મનોને પણ રંગ લગાવીને ગળે મળી લેવું જોઇએ.

દુ:ખ અને નિરાશા દૂર કરીને જીવનમાં રંગો ભરનાર આ તહેવાર સદભાવના, મિત્રતા અને એકતાનો સંદેશો આપે છે. ફાગણ સુદ આઠમથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક મનાવવાં આવે છે, તેની સાથે હોળીના પર્વની શરૂઆત થાય છે. વૈદિક કાળમાં આ તહેવારને નવાન્નેષ્ટી તરીકે ઓળખવામાં આવતો હતો. હોળીના દિવસે હોળા તરીકે ઓળખાતા કાચાપાકા અનાજને યજ્ઞમાં હોમીને પ્રસાદ ગ્રહણ કરવાનો રીવાજ છે. યજ્ઞમાં હોળાનું દહન કરવામાં આવે છે તેના પરથી આ તહેવાર હોળી તરીકે ઓળખાવવા લાગ્યો.

દર વર્ષે હોળી ઉજવો છો પરંતુ શું તમને ખ્યાલ છે કે શા માટે આ તહેવાર ઉજવવામાં આવે છે તો ચાલો થોડુ ભારતીય સંસ્કૃતિમાં જઇને જોઇએ કે શું છે તથ્યો..જાણવુ જ જોઇયેને યાર ભારતીય છો,.."સમયની સાથે આગળ વધો પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારના ભુલો"..


આવો જાણીએ આ તહેવારને લઈને કેટલીક કથાઓ વિશે.

1. તમે ભક્ત પ્રહલાદની કથા તો સાંભળી જ હશે, આપણે સ્કુલમાં ભણવા જતા ત્યારથી આપણે હોળી સાથે સંકળાયેલી એક જ કથા સાંભળી છે. "ભક્ત પ્રહલાદ" ની કથા. હિરણ્યકશ્યપની બેન હોળિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન મળ્યું હતું. તેણે પોતાના ભાઇના કહેવાથી ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને અગ્નિમાં સળગાવી રાખ કરવાના પ્રયાસ કર્યો.  પરંતુ તેનુ પાસુ તેની પર ઉલ્યુ પડ્યુ અને હોળિકા તો બળી ગઈ પરંતુ પ્રહલાદ બચી ગયા. ત્યારથી આ તહેવારને ઉજવવાની પ્રથા શરૂ થઈ. હવે આ તો થઇ ભક્ત પ્રહલાદની વાત પરંતુ શુ તમે જાણો છો આ સિવાય પણ ઘણા બઘા તથ્યો હોળી સાથે સંબંધ ધરાવે છે.






2. ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ કોણ નથી જાણતુ, એક કથા અનુસાર કૃષ્ણના મામા કંસે ભગવાન શ્રીકૃષણના વધ માટે રાક્ષસી પૂતનાને મોકલી હતી. ત્યારે બાળ કૃષ્ણએ દૂધપાન કરતી રાક્ષસી પૂતનાના પ્રાણ લઈ લીધા હતા. આ પ્રસંગની યાદમાં મથુરાવાસીઓ રાક્ષસી પૂતનાનો પૂતળુ બનાવીને સળગાવવા લાગ્યા. ત્યારેથી આ તહેવાર ઉજવવાની પરંપરા શરૂ થઈ ગઈ. આ ખુશીમાં લોકો એક બીજાને રંગથી રંગવા લાગ્યા અને આ દિવસ હોળીના તહેવાર તરીકે ઓળખાયો.




3. હોળી સાથે જોડાયેલી એક માન્યતા એવી પણ છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણ તેમની માતાને પુછે છે કે "રાધા ક્યૂ ગોરી મે ક્યૂં કાલા". ત્યારે માતા યશોદા કહે છે કે, તૂ રાધાને તારા ગમતા રંગમાં રંગી દે... બસ ત્યાર પછી રાધા અને કૃષ્ણના નિસ્વાર્થ પ્રેમની હોળીની શરુઆત થઇ ..અને આ રીતે રંગોનો તહેવાર હોળી શરુ થયો.



4. શિવપુરાણ મુજબ હિમાલયની પુત્રી પાર્વતી, ભગવાન શિવથી લગ્ન માટે કઠોર તપ કરી રહી હતી. શિવ પણ તપસ્યામાં મગ્ન હતા, અને તાડકાસુરનો વધ- શિવ-પાર્વતીના પુત્ર દ્વારા થવાનું હતું. આ કારણે ઈંદ્ર દેવે કામદેવને ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા મોકલ્યા,  તપસ્યા ભંગ થવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને કામદેવન તેમના ગુસ્સામાં ભસ્મ કરી નાખ્યા. ભગવાન શિવની તપસ્યા ભંગ થયા પછી દેવતાઓએ તેમને પાર્વતીથી લગ્ન કરવા માટે રાજી કરી લીધા. આ કથા મુજબ હોળીમાં કામ ભાવનાને પ્રતીકાત્મક રૂપથી પ્રગટાવીને સાચા પ્રેમનો ઉત્સવ ઉજવવાની શરુઆત થઇ છે.






તો ચાલો તમે પણ તૈયાર થઇ જાઓ પ્રેમ, ઉત્સાહ, ઉમંગ દરેક લાગણીના રંગમાં રંગાવા....#Happy Holi

Friday, March 1, 2019

મેં શાયર તો નહી..



નવા શહેરમાં
મારુ ઘર શોઘુ છું,
અજાણ્યા લોકોમાં કોક
પોતાનું શોધુ છું,
આંખે પાટા જેને
ત્યા ન્યાય શોધુ છું,
લોકોને ઉંચુ બોલુ તો પણ સંભળાતુ નથી
તેમને સંભળાવવા માટે યોગ્ય શબ્દો શોધુ છું,,,
સંભળાવવા શબ્દો હોય તો જણાવવા વિનંતી
હૈદરાબાદ ડાયરીમાંથી....

===================================


જીંદગી એક મુંઝવણ થઇ ગઇ છે,
જીંદગી એક મુંઝવણ થઇ ગઇ છે,
સમયની સાથે મને સમજણ થઇ ગઇ છે,
સમયની સાથે મને સમજણ થઇ ગઇ છે,
હાથની રેખાઓ જોઇ ગુંચવણ થઇ ગઇ છે,
હાથની રેખાઓ જોઇ ગુંચવણ થઇ ગઇ છે,
અને,,,
ફરી એક વાર જીંંદગી એક મુંઝવણ થઇ ગઇ છે...

=======================================

વાયદો કરે જો તુ જીંદગી ભર સાથ નિભાવવાનો તો મોતથી પણ લડી લઉ..
સાથ નહી પણ ફક્ત સપનામાં રહેવા માંગે તો હંમેશા માટે સુઇ લઉ..

========================================

દારુની શું જરુર તું ઉતરે,,,

તો કોઇ બીજો નશો થાય ને...

==========================================

પ્યાર મેં મોત સે ડરતા કૌન હૈ,
યે તો હો જાતા હૈ કરતા કૌન હૈ,

========================================

 


લવ આજ કલ, પ્રેમ નહી પરંતુ શારિરીક આકર્ષણ

સુપ્રીમ કોર્ટનો એક અવિશ્વસનીય ચૂકાદો આવ્યો છે, જે મુજબ કોર્ટે જણાવ્યું કે લીવઇન રિલેશન શિપમાં રહેતા લોકોની મરજીથી જો બે લોકો વચ્ચે સંબંધ...